મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ

0
71
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ ગભરાયેલા છે તેથી પીડીત કિશોરીને ૧૮૧ ની ટીમની મદદ ની જરૂર છે.જેના પગલે ૧૮૧ ના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા.

૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી કિશોરીને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ. કિશોરી નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમના માતા -પિતા બંને મૃત્યુ પામ્યા અને હાલ તેઓ છેલ્લા બે મહિનાથી તેમના માસા-માસી સાથે એક કંપનીમાં રહેતી હતી. ત્યારબાદ કિશોરીએ જણાવેલ કે કામકાજ બાબતે તેમની માસી ખીજાતા હતા અને ઢોર માર મારતાં હતાં તેમજ ઘરની બહાર નીકળી જા તેવું કહેતા હતા અને અયોગ્ય વતૅન કરતા હતા અને તેમની માસી જમવા બાબતે રોજ ત્રાસ આપતા હતા.અને તેમના માસી તું મરી જા તેવું ખરાબ-ખરાબ બોલતા હતા જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈ ને પણ કહ્યા વગર ચાલતા ચાલતા વાંકાનેર ચોકડી પહોંચી ગઈ હતી. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી ના પરિવારના સભ્યોનો સંપર્ક કરી માસા-માસી સાથે વાતચીત કરી હતી અને કિશોરીના માસા માસીનું કાઉન્સિલિંગ કરાયું તેમજ દિકરી સાથે અયોગ્ય વર્તન ન કરવા અને મારઝુડ ન કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી. તેમજ કિશોરીનું ધ્યાન રાખવા અને તેમને શિક્ષણ આપવા તેમના માસા-માસી ને જણાવેલ અને તેઓ દ્વારા કિશોરીની પૂરેપૂરી સંભાળ લેવા ખાતરી આપી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/