મોરબી : અનલોક 1.0ના બે દિવસ બાકી છે ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીને અવગણીને રાત્રે 9 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખતા તથા ખાસ કામ વગર બહાર રતા કુલ 5 લોકો સામે મોરબી જિલ્લામાં કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠીગામ ખાતે ઇબ્રાહિમ ગાજીભાઈ બાદી નામના દુકાનદારે પોતાની પાન-બીડીની દુકાન રાત્રે 9 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભર્યા છે. જયારે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલિકા પ્લોટ ખાતે હનીફ રજાકભાઈ મીર નામના દુકાનદારે કર્ફ્યુની અમલવારીના સમયગાળા દરમ્યાન પોતાની ઠંડા પીણાંની દુકાન ખુલ્લી રાખતા તેની સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરાયો છે. મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા માળીયા ફાટક પાસેથી કરણ સોમાભાઈ હળવદિયા, મનોજ વિજયભાઈ હળવદિયા અને રાજેન્દ્ર વિજયભાઈ હળવદિયાને રાત્રે મોડે સુધી કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા બાઈક સાથે અટકાવીને તેની સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...