પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી
મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને સમાજ માટે નવો રાહ ચીંધ્યો છે.
મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયાની પુત્રી ‘હિયા’ની ગત કાલે પ્રથમ વર્ષગાંઠ હતી. ત્યારે અજય લોરીયા દ્વારા પુત્રીના જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કર્યા બાદ મોરબીના વૃદ્ધાશ્રમમાં આ નિમિત્તે 51 હજારની રાશિ અનુદાનમાં આપી અન્ય લોકો માટે એક પ્રેરણાદાયી પગલું ભર્યું હતું. મિત્રવર્તુળ તેમજ સગા સ્નેહીઓએ અજયભાઈની આ પહેલને બિરદાવી એમની પુત્રી ‘હિયા’ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
