વાંકાનેર પાસે પલ્ટી મારેલો ટ્રક માથે પડતા એક રાહદારીનું મોત, બીજાનો પગ કપાઈ ગયો

0
181
/
રાતાવિરડા ગામ પાસેનો બનાવ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી ખસેડાયો

વાંકાનેર : તાજેતરમા વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આજે એક ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. જેમાં પલ્ટી મારેલો ટ્રક માથે પડતા એક રાહદારીનું મોત થયું છે. તો બીજા એક રાહદારીનો પગ કપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ પાસે આજે બપોરના અઢી વાગ્યાના અરસામાં એક ટ્રક અચાનક પલ્ટી મારી ગયો હતો. આ વેળાએ ત્યાંથી પગપાળા પસાર થતા બે યુવાનો ઉપર આ ટ્રક પડ્યો હતો. જેના કારણે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા એક યુવાનનો પગ કપાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટનાના પગલે રોડ ઉપર ટ્રાફીકજામ સર્જાયો હતો. સ્થાનિકોએ તુરંત જ ઇજાગ્રસ્ત થયેલા યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી તુરંત આ યુવાનને મોરબી સિવિલમાં લઈ આવવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવી બન્ને યુવાનોની ઓળખ મેળવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/