જીએસટી ચોરીના કૌભાંડમાં 14 આરોપીઓના જામીન નામંજૂર

11
169
/

મોરબીમાં બોગસ સીરામીક પેઢી ઉભી કરી બરોબર ટાઇલ્સ વેચીને જીએસટીની ચોરી કર્યાના કૌભાંડમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 14 આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

મોરબીમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાની જીએસટીની ચોરી થયાનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ભેજાબાજૉ બોગસ સીરામીક પેઢી ઉભી કરીને બારોબાર ટાઇલ્સ વેચીને લાખોની જીએસટી ચોરી કર્યાનું ધ્યાને આવતા મોરબી સ્થિત જીએસટી વિભાગના અધિકારીએ આ બાબતે પીલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે એક પછી એક એમ 14 આરોપીઓને દબોચી લીધા હતા.આ આરોપીઓની પૂછપરછમાં જીએસટી ચોરીની કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.દરમ્યાન 14 આરોપીઓ પોતાના વકીલ મારફત જામીન પર છૂટવા ડિસ્ટ્રીક કોર્ટમાં અરજી કરી હતી.ત્યારે આજે આ જમીન અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આ ગંભીર કેસને ધ્યાને લઈને 14 આરોપીઓના જામીન નામંજૂર કરી દીધા હતા.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

11 COMMENTS

Comments are closed.