હળવદ-ધાંગધ્રા રોડ પરની સ્ટ્રીટલાઇટો છેલ્લા બે દિવસથી બંધ

0
37
/

પંચમુખી ઢોરા વિસ્તારની પણ મુખ્ય માર્ગોની સ્ટ્રીટલાઇટો બંધ રહેતા મુખ્ય માર્ગો પર અંધારપટ છવાયો

હળવદ: હળવદ શહેરમાં આવેલ ત્રણ રસ્તાથી દશામાના મંદિર સુધીની તમામ સ્ટ્રીટ લાઈટો છેલ્લા બે દિવસથી બંધ જોવા મળી રહી છે સાથે સાથે પંચમુખી ઢોરા વિસ્તારની પણ મુખ્ય રસ્તાની લાઈટો બંધ છે જેને કારણે મુખ્ય માર્ગો પર અંધારપટ છવાયો છે જેથી પાલિકા તંત્ર દ્વારા પોતાની આળસ ખંખેરી વહેલી તકે મુખ્ય માર્ગોની અને પંચમુખી ઢોરા વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરે તે જરૂરી છે કારણકે શહેરના ધાંગધ્રા રોડ પર વહેલી સવારે અને મોડી સાંજના લોકો ચાલવા નીકળતા હોય છે જેથી લાઈટો બંધ રહેતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર દ્વારા બંધ રહેલી સ્ટ્રીટલાઇટો ક્યારે ચાલુ કરે છે..?

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/