વાંકાનેર: માટેલ ધરાના પાણીના પ્રવાહમાં તણાયેલા યુવાનની ત્રણ દિવસે લાશ મળી

0
221
/
ગાયને બચાવવા જતા કરુણ ઘટના બની હતી

વાંકાનેર : આજે વાંકાનેરના સુપ્રસિદ્ધ માટેલ ધરાનાં પાણીના પ્રવાહમાં ત્રણ દિવસ પહેલા એક યુવાન તણાયો હતો. જેમાં એક ગાય ડૂબતી હોવાથી ત્રણ યુવાનો તેને બચાવવા કૂદી પડ્યા હતા. જેમાંથી બે યુવાનોનો જીવ બચી ગયા હતા. પણ એક યુવાન પાણીના પ્રવાહમાં તણાય ગયો હતો. દરમ્યાન આજે આ યુવાનની લાશ મળી આવતા અરેરાટી મચી ગઇ છે.

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પરમ દિવસે ભારે વરસાદને પગલે માટેલ ઘરો બે કાંઠે વહ્યો હતો. માટેલ ધરાના ધસમસતા પાણીના પ્રવાહમાં એક ગાય તણાવા લાગી હતી. આથી, ત્રણ યુવાનોએ ગાયને બચાવવા માટે પાણીના પ્રવાહમાં ગયા હતા. પણ પાણીના પ્રવાહનું જોર વધુ હોવાથી આ ત્રણેય યુવાનો તણાવા લાગતા સ્થાનિક લોકોએ બે યુવાનોને બચાવી લીધા હતા. પણ આ ત્રણમાંથી એક યુવાન ભરતભાઇ જાદવભાઈ વિજવાડિયા (ઉ.વ. 35) માટેલ ધરાના પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.

જો કે ગાયનો જીવ પણ બચી શક્યો ન હતો. ત્યારે પાણીના પ્રવાહમાં તણાયેલા યુવાનને બચાવવા માટે સ્થાનિક લોકો અને એનડીઆરએફની ટીમે શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન ગત મોડી રાત્રે ધરાથી આગળ આવેલ ખાણમાંથી યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાન ખેતીકામ કરતો હતો અને તને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે.તેના માતા પિતા સાથે જ રહેતો હતો. ત્યારે આ યુવાનની લાશ મળી આવતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/