મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત

49
177
/

મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે તેમજ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

માળિયા નજીક નમર્દા કેનાલમાં ડૂબી જતા તરુણનું મોત

માળીયાના ખાખરેચી ગામના રહેવાસી નવઘણ વજાભાઇ ભોજવીયા (ઉ.વ.૧૫) નામનો તરુણ ખાખરેચી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની વધુ તપાસ ચલાવી છે

ટંકારા નજીક ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટની આત્મીય કોલેજ નજીકના રહેવાસી રવિભાઈ વિનોદભાઈ નાયકપરા (ઉ.વ.૨૯) નામના યુવાને ટંકારાના નેકનામ ચંદન કોટન ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

 

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

49 COMMENTS

Comments are closed.