હળવદમાં દુકાનની ઉઘરાણીએ નીકળેલો યુવાન લાપતા થાયનો બનાવ

0
38
/

હળવદ : હાલ હળવદના સરા નાકા પાસે આવેલ રામદુત ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતો યુવાન અન્ય દુકાનોમાં ઉઘરાણી કરવા નીકળ્યો હતો. પણ આ દુકાનોમાં ઉઘરાણી કરીને પરત ન ફરતા અને યુવાન રહસ્યમય સંજગોમાં લાપતા બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ હળવદ પોલીસે ગુમસુદા નોંધી કરી યુવાનની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સરા નાકા પાસે આવેલ રામદુત ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતો મનોજભાઇ નરશીભાઇ પટેલ (ઉ.વ.૩૦ રહે.ક્રિષ્નાપાર્ક હળવદ) નામનક યુવાન ગત તા.૧૦ ના રોજ બપોરના સમયે પોતાની દુકાનેથી ગામની બીજી દુકાનોમા પૈસાની ઉઘરાણીયે જવાનુ કહી નીકળ્યો હતો. પરંતુ આ દુકાને ઉઘરાણુ કરીને આ યુવાન આજદિન સુધી પરત આવ્યો નથી. આથી આ બનાવ અંગે અશ્વિનભાઇ નરશીભાઇ પટેલ (ઉ.વ.૩૪ ધંધો.નોકરી રહે.આનંદ બંગ્લો રાણેકપર રોડ હળવદ) એ હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધાવી છે. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને ગુમ થયેલા યુવાનની શોધખોળ કરવા વિવિધ દિશામાં તપાસ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/